
તકરારી મિલકત જપ્તીમાં લેવા અને રિસીવર નિમવાની સતા
"(૧) મેજિસ્ટ્રેટને કલમ ૧૪૫ની પેટા કલમ (૧) હેઠળ હુકમ કર્યું પછી કોઇ પણ સમયે એમ લાગે કે પરિસ્થિતિ તાકીદની છે અથવા તો એવા નિણૅય ઉપર કે તે વખતે કલમ ૧૪૫માં ઉલ્લેખ્યા પ્રમાણેનો કબજો કોઇ પક્ષકાર પાસે ન હતો અથવા તકરારી મિલકતનો એવો કબજો તેઓ પૈકી કોનો હતો તે બાબત પોતાને ખાતરી થાય નહીં તો તે તકરારી મિલકતના કબજા માટે હકુમત ધરાવતી કોટૅ હકદાર વ્યકિત સબંધમાં તેના પક્ષકારોના હક નકકી ન કરે ત્યાં સુધી તકરારી મિલકતને જપ્તીમાં લઇ શકશે પરંતુ તકરારી મિલકત અંગે સુલેહનો ભંગ થવાનો સંભવ ન
હોવાની મેજિસ્ટ્રેટને ખાતરી થાય તો તે કોઇ પણ સમયે જપ્તી ઉઠાવી લઇ શકશે
(૨) મેજિસ્ટ્રેટ તકરારી મિલકત જપ્તીમાં લે ત્યારે તેના સબંધમાં કોઇ દીવાની કોટૅ રીસીવર નીમ્યો ન હોય તો તે મિલકતની સંભાળ રાખવા માટે પોતે યોગ્ય ગણે તેવી વ્યવસ્થા તે કરી શકશે અથવા પોતાને યોગ્ય લાગે તો તેનો રિસીવર નીમી શકશે અને તે રિસીવરને મેજિસ્ટ્રેટના નિયંત્રણને આધીન રહીને દીવાની કાયૅરીતિ અધિનિયમ ૧૯૦૮ હેઠળ નિમાયેલા રિસીવરની તમામ સતા રહેશે
પરંતુ કોઇ પણ દીવાની કોટૅ તકરારી મિલકત સબંધમાં ત્યાર પછી રિસીવર નિમે ત્યારે મેજિસ્ટ્રેટ
(ક) પોતે નિમેલા રિસીવરને દીવાની કોટૅ નિમેલા રિસીવરને તકરારી મિલકતનો કબજો સોપી દેવાનો હુકમ કરશે અને ત્યાર બાદ પોતે નિમેલા રિસીવરને જવાબદારીમાંથી મુકત કરશે
(ખ) ન્યાયી હોય તેવા બીજા અનુષગિક કે પારિણામિક હુકમો કરી શકશે"
Copyright©2023 - HelpLaw